Gujarat Tak
BREAKING
ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી | ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી |
ADVERTISEMENT

NPSને લઇ મોટા સમાચાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડોના નવા વિકલ્પો

NPS withdrawal rules: ગુજરાત સરકારે NPSના નિયમોમાં ફેરફાર કર્યો છે. નિવૃત્તિ બાદ કર્મચારીઓને પેન્શન રકમ ઉપાડવા અને એન્યુઇટી માટે નવા વિકલ્પો મળશે.
NPSને લઇ મોટા સમાચાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડોના નવા વિકલ્પો
Priyanka Panchal 04 Sep, 2026 05:53 AM
ADVERTISEMENT

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે NPS એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજના અંગે મહત્વના ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ નિવૃત્તિ બાદ સરકારી ક્ષેત્રના NPS સભ્યોને રકમ ઉપાડવા, એન્યુઇટી ખરીદવા અને NPSમાં 85 વર્ષની ઉંમર સુધી રહેવા જેવા વિકલ્પો મળશે.

નિવૃત્તિ બાદ NPSમાં 85 વર્ષ સુધી રહી શકાશે

નવા નિયમો હેઠળ સરકારી ક્ષેત્રના NPS સભ્યને નિવૃત્તિ બાદ પણ 85 વર્ષની ઉંમર સુધી NPSમાં રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ સાથે પેન્શનની સંચિત રકમમાંથી એકમુશ્ત ઉપાડ અને એન્યુઇટી ખરીદવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે નિવૃત્તિ સમયે સંચિત પેન્શન રકમના ઓછામાં ઓછા 40 ટકા હિસ્સામાંથી એન્યુઇટી ખરીદવાની જોગવાઈ રહેશે. જોકે, સંચિત રકમ કેટલી છે તેના આધારે એકમુશ્ત ઉપાડ માટે અલગ વિકલ્પ આપવામાં આવ્યા છે.

સંચિત NPS રકમ એકમુશ્ત ઉપાડનો વિકલ્પ
₹8 લાખ સુધી સમગ્ર રકમ એકસાથે ઉપાડી શકાશે
₹8 લાખથી વધુ અને ₹12 લાખ સુધી વધુમાં વધુ ₹6 લાખ સુધી એકમુશ્ત ઉપાડી શકાશે
₹12 લાખથી વધુ નિયમ મુજબ ઓછામાં ઓછા 40% રકમમાંથી એન્યુઇટી ખરીદવાની જોગવાઈ

₹8 લાખથી વધુ અને ₹12 લાખ સુધીની સંચિત રકમ ધરાવતા સભ્યો માટે બાકીની રકમમાંથી ઓછામાં ઓછા છ વર્ષ સુધી સમયાંતરે ચુકવણી મેળવવાનો અથવા એન્યુઇટી ખરીદવાનો વિકલ્પ રહેશે.

85 વર્ષની ઉંમર સુધી નિર્ણય મુલતવી રાખી શકાશે

નવા નિયમોની મહત્વની બાબત એ છે કે સભ્ય એન્યુઇટીની ખરીદી અને એકમુશ્ત રકમના ઉપાડને 85 વર્ષની ઉંમર સુધી મુલતવી રાખી શકે છે. એટલે કે નિવૃત્તિના સમયે જ સમગ્ર નિર્ણય લેવો જરૂરી રહેશે નહીં.

સ્વૈચ્છિક નિવૃત્તિમાં નિયમ શું રહેશે?

સરકારી કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લે અથવા નિયમોમાં જણાવેલા અન્ય નિર્ધારિત કિસ્સામાં NPSમાંથી બહાર આવે ત્યારે ઓછામાં ઓછા 80 ટકા સંચિત પેન્શન રકમ એન્યુઇટી માટે ઉપયોગમાં લેવાની જોગવાઈ રહેશે.

જોકે, સંચિત પેન્શન રકમ ₹5 લાખ કે તેનાથી ઓછી હોય, તો સમગ્ર રકમ એકમુશ્ત ઉપાડવાનો વિકલ્પ રહેશે.

સરકારી અને બિનસરકારી NPS સભ્યો માટે અલગ જોગવાઈ

નવા નિયમોમાં NPSના સરકારી અને બિનસરકારી ક્ષેત્રના સભ્યો માટે ઉપાડની અલગ જોગવાઈ કરવામાં આવી છે. તેથી કર્મચારીઓએ પોતાની NPS કેટેગરી અને નિવૃત્તિની સ્થિતિ પ્રમાણે લાગુ પડતા નિયમો ધ્યાનમાં લેવા પડશે.

Link copied!