Gujarat Tak
BREAKING
ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી | ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી |
ADVERTISEMENT

Delhi News: દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા, 1,777 લોકો સંક્રમિત

દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસ વધીને 1,777 થયા છે. સરકાર એલર્ટ પર છે અને લોકોને સાવચેતી રાખવા તેમજ લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લેવા અપીલ કરાઈ.
Delhi News: દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા, 1,777 લોકો સંક્રમિત
GujaratTak Desk 23 Aug, 2026 11:20 AM
ADVERTISEMENT

Delhi Swine Flu Cases: દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના વધતા કેસે ચિંતા વધારી છે. દિલ્હીમાં ઇન્ફ્લુએન્ઝા Aના અત્યાર સુધીમાં 2,392 કેસ નોંધાયા છે, જેમાં 1,777 કેસ H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂના છે. વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે હોસ્પિટલ અને આરોગ્ય વિભાગને સતર્ક રહેવાની સૂચના આપી છે.

એક જ દિવસમાં 114 નવા કેસ

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, શુક્રવાર સુધીમાં દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના 1,777થી વધુ કેસ નોંધાયા છે. માત્ર ગુરુવારે જ 114 નવા કેસ સામે આવ્યા હતા. જોકે સરકારના જણાવ્યા પ્રમાણે હાલમાં હોસ્પિટલોમાં સારવાર માટે ડોક્ટર, બેડ અને જરૂરી દવાઓની પૂરતી વ્યવસ્થા છે.

લોકોને સાવચેતી રાખવાની અપીલ

સરકારે લોકોને સ્વચ્છતા જાળવવા અને ભીડવાળી જગ્યાઓએ સાવચેતી રાખવાની સલાહ આપી છે. ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક ઢાંકવા, હાથ નિયમિત રીતે ધોવા અને બીમાર વ્યક્તિથી નજીકનો સંપર્ક ટાળવાની અપીલ કરવામાં આવી છે.

આ લક્ષણો દેખાય તો ધ્યાન આપો

તાવ, ખાંસી, ગળામાં દુખાવો, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો જેવા લક્ષણો દેખાય તો તેને અવગણવા નહીં. ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડોક્ટરની સલાહ વગર જાતે દવા લેવાનું ટાળવું જોઈએ.

Link copied!