Gujarat Tak
BREAKING
ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી | ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી |
ADVERTISEMENT

દિલ્હીમાં રક્ષા મંત્રાલયમાં ફરજ બજાવતી 30 વર્ષની મહિલા અધિકારીએ કર્યું સુસાઇડ, 3 મહિનાની ગર્ભવતી હતી

ત્રણ મહિનાની ગર્ભવતી નાજિયા ખાનમ દ્વારકામાં પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પરિવારજનોએ પતિ અને સાસરિયાઓ પર સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
દિલ્હીમાં રક્ષા મંત્રાલયમાં ફરજ બજાવતી 30 વર્ષની મહિલા અધિકારીએ કર્યું સુસાઇડ, 3 મહિનાની ગર્ભવતી હતી
GujaratTak Desk 23 Aug, 2026 12:44 PM
ADVERTISEMENT

દિલ્હીના દ્વારકામાં રક્ષા મંત્રાલયમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતી 30 વર્ષની નાજિયા ખાનમનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. નાજિયા ત્રણ મહિનાની ગર્ભવતી હતી. મૃતકના પરિવારજનોએ પતિ, સાસુ અને સસરા પર સતત માનસિક તથા શારીરિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

નાજિયાના પરિવારના જણાવ્યા મુજબ લગ્ન બાદથી જ તેને સાસરિયાઓ તરફથી હેરાન કરવામાં આવતી હતી. નાજિયા ફોન કરીને પરિવારને પોતાની સાથે થઈ રહેલા કથિત ત્રાસ અંગે જાણ કરતી હતી. પરિવારનો આરોપ છે કે તેને વારંવાર અપશબ્દો બોલવામાં આવતા, માર મારવામાં આવતો અને જાનથી મારી નાખવાની તથા ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હતી.

21 ઓગસ્ટના રોજ નાજિયાની તબિયત લથડતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી.

પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં નાજિયાના પતિ અઝ્મ અલી ખાને જણાવ્યું કે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ નાજિયાએ તેને એક રૂમમાં બંધ કરી દીધો હતો. અઝ્મના જણાવ્યા મુજબ તે મકાન માલિકની મદદથી બાલ્કનીમાંથી બહાર આવ્યો હતો અને બાદમાં નાજિયા ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.

જોકે, નાજિયાના પિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ કથિત હત્યા ગણાવી છે. તેમણે પતિ અને સાસરિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હાલમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 85 અને કલમ 108 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

Link copied!